હળવદના શંકરપરા રામજી મંદિરે ઉજવાશે પ્રભુ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


હળવદ : હળવદના શંકરપરા રામજી મંદિરે તા. 22મીએ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

હળવદના શંકરપરા રામજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોમાં સવારે 5:00 કલાકે શંકરપરા ગોપી મંડળની રામધૂન, 7:00 કલાકે વક્તાનું સામૈયું, 8:00 કલાકે સત્સંગ સભા (રામચરિત), 10:00 કલાકે ધ્વજારોહણ, 10:30 કલાકે દાતાઓનું સન્માન, 11:00 કલાકે અયોધ્યા લાઈવ પ્રસારણ, બપોરે 12:30 કલાકે મહા આરતી, 1:00 કલાકે મહાપ્રસાદ તથા રાત્રે 9:00 કલાકે ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે મહાઆરતીની ઉછમણી સત્સંગ સભા દરમ્યાન લેવામાં આવશે. વક્તા પદે શ્રી રાજારામ બાપુ (કાશીપરા વાળા) બિરાજમાન થશે.

- text

- text