મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની સઘન સફાઈ કરાઈ

- text


મોરબી : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરના દેવ સ્થાનોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની સઘન સફાઈ કરવામાં આવી હતી.

આજે રફાળેશ્વર મહાદેવ મંદિરની સફાઈ કરીને મંદિરને ચોખ્ખું ચણાક કરી દેવામાં આવ્યું હતું. આ કાર્યમાં મહાદેવ યુવા ગ્રુપના શિવુભા ગુઢડા, મયુરભા ગુઢડા, બાલભા ગુઢડા, પુષ્પરાજસિંહ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, ભાવેશભાઈ ગમારા, હિતેશભાઈ રાઠોડ, મુકેશભાઈ જાની (ભુદેવ), કાનાભાઈ આચાર્ય, હંસરાજભાઈ મકવાણા, કાવ્યા ભારથી અને લાલભા જોડાયા હતા.

- text

- text