- text
મોરબી : મોરબીમાં રામ જન્મ ભૂમિ તિર્થ ક્ષેત્ર કાર્યાલય ખાતે આજે ઝીંઝુડા સંત કાનસ્વામી મહારાજની જગ્યાની ઝીંઝુડા સેવા સમિતિ દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતુ. જેમાં સર્વ સેવકોએ જય શ્રી રામનાં જયઘોષથી વાતાવરણ રામ મય બનાવી દીધું હતું. આ પ્રસંગે જીતુભાઈ ચંદારાણા, હિરેનભાઈ વિડજા, કમલેશભાઈ પંડિત, ચંદુલાલ ચંદારાણા, વિનુભાઈ સેરસિયા હાજર રહ્યા હતા.
- text