- text
વાંકાનેર : આગામી તા.22મીએ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશભરમાં તમામ ધર્મસ્થાનોમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવા નક્કી કરવામાં આવતા મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ પ્રસિદ્ધ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે એટીડીઓ સોલંકી વાંકાનેર, માટેલ તલાટી કમ મંત્રી ડાભી તેમજ સરપંચ અને સેવાભાવી નાગરિકો દ્વારા માટેલધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી મંદિર પરિસરને સ્વચ્છ સુઘડ બનાવવામાં આવ્યું હતું.
- text