નિલકંઠ સ્કૂલમાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : નિલકંઠ સ્કૂલ ખાતે ભગવાન શ્રીરામની યશગાથા અને 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિશે વિગતવાર માહિતી આપવા માટે અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સાનિધ્યમાં એક કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં 22 મી જાન્યુઆરીના રોજ યોજાનાર નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે દરેક ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને નવનિર્માણ થઈ રહેલ અયોધ્યા રામ મંદિરના વીડિયો દ્વારા દર્શન કરાવ્યા હતા અને શ્રી રામ જન્મભૂમિ વિજય ગાથાનો વિડિયો બતાવી 500 વર્ષોથી ચાલ્યા આવતા સંઘર્ષ વિશે માહિતગાર કર્યા હતા.

- text

- text