માળીયા નજીક નદીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

- text


નદીમાં ડૂબી જવાથી મોત થયાનું પોલીસનું પ્રાથમિક તારણ

મોરબી : માળીયા કંડલા નેશનલ હાઇવે પર નવા બની રહેલા હરીપર બ્રિજની બાજુમાં મચ્છુ નદીમાંથી આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તેનું મચ્છુ નદીમાં ડૂબી જવાથી મોત થયાનું તારણ દર્શાવી માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા તાલુકાના નવા બની રહેલા હરીપર બ્રિજની બાજુમાં આવેલ મચ્છુ નદીમાંથી આજે આશરે 45થી 50ની ઉંમર ધરાવતા એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ એન.એમ. ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ અંગે માળીયા પીએસઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે, કદાચ આ બનાવ અકસ્માતનો હોઈ શકે તેવી શકયતા દર્શાવીને આ દિશામાં તપાસ હાથ ધરી છે. અને આશરે બે ત્રણ દિવસ પહેલા નદીમાં ડૂબી જવાથી મોત થયું હોય બોડી કહોવાયેલી હોવાથી તેની ઓળખ મળી નથી. તેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને બનાવનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text