ભીમા કોરેગાવ શૌર્ય દિવસ નિમિત્તે મોરબીમાં આયુર્વેદિક રોપાનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીમાં મૂળ નિવાસી સંઘ અનુસૂચિત જાતિ દ્વારા પર્યાવરણ જતન અનુલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આયુર્વેદિક રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

ભીમા કોરેગાવ શૌર્ય દિવસ નિમિત્તે 1 જાન્યુઆરીના રોજ નગરપાલિકા બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે મૂળ નિવાસી સંઘ અનુસૂચિત જાતિ દ્વારા ફૂલ-છોડ તેમજ આયુર્વેદિક રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હોવાનું મૂળ નિવાસી સંઘ અનુસૂચિત જાતિના પ્રમુખ નાનજીભાઈ સોલંકીની યાદીમાં જણાવાયું છે.

- text