મોરબીમાં આજે ભીમા કોરેગાવ શૌર્ય દિવસ નિમિત્તે ફુલ છોડ તેમજ આયુર્વેદિક રોપાઓનું વિતરણ કરાશે

- text


મોરબી : મોરબીના મૂળનિવાસી સંઘ અનુસૂચિત જાતિ દ્વારા ભીમા કોરેગાવ શૌર્ય દિવસ નિમિત્તે આજે તારીખ 1 જાન્યુઆરીને સોમવારના રોજ સવારે 8:30 થી 12:00 વાગ્યાં સુધી ડો. બી.આર. આંબેડકર ચોક સિવિલ હોસ્પિટલ સામે મોરબી નગરપાલિકા મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ફુલ છોડ તેમજ આયુર્વેદિક રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે. તમામ મોરબી વાસીઓને લાભ લેવા મૂળનિવાસી સંઘ અનુસૂચિત જાતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text