મોરબીના મકનસર ગામે હનુમાન ચાલીસાના પાઠ અને રામધુન યોજાઇ

- text


મોરબી : મોરબી તાલુકાના મકાનસર ગામે ભગવાન શ્રી રામના મંદિરે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા હતા.

મકનસર ખાતે એકતા એ જ લક્ષ્ય સંગઠન મોરબી જિલ્લા ટીમના બધા ભાઈઓએ પણ હાજરી આપી હતી અને એકતા એ જ લક્ષ્ય સંગઠન મોરબી જિલ્લા ટીમે મકાનસર ટીમની મુલાકાત લીધી હતી અને અઢારે વરણના ભાઈઓ સાથે મળીને ધર્મ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે મકનસર ગામે દર શનિવારે રામધુનનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાના બાળકોથી લઇ વડીલો સુધી મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. જે તમામનો એકતા એ જ લક્ષ્ય સંગઠન ટીમના કાર્યકરો આભાર માન્યો હતો.

- text

- text