વાંકાનેરની બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો હટાવાયા

- text


દુકાનો બહારના ઓટલા, રેકડીઓ, ચા-પાનની કેબીનો સહિતના દબાણો દૂર કરી માર્ગો પહોળા કરાયા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેરની બજારો અને મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.દુકાનો બહારના ઓટલા, રકડીઓ, ચા-પાનની કેબીનો સહિતના દબાણો દૂર કરી માર્ગો પહોળા કર્યા હતા.

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતની નગરપાલિકાની ટીમ દ્વારા વાંકાનેરની બજારોમાં આડેધડ ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લા અને દુકાનો બહારના ઓટલાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેરના બજાર વિસ્તારોમાં માર્કેટ ચોક, અમરસિંહજી સ્ટેચ્યુ પાસે, મેઈન બજાર, હાઇવે જકાતનાકા સહિતનાં માર્ગો ઉપરના દુકાનો બહારના ટ્રાફિકને નડતરરૂપ ઓટલા સહિતનો સમાન, રેકડીઓ, કેબીનો, પાથરણા સહિતના દબાણો દૂર કરીને રોડ રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ સાથે જ આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ દબાણોને દુર કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.

- text

- text