મોરબી પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશનનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : મોરબી પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશનનું છઠ્ઠું વાર્ષિક સ્નેહમિલન મોરબીના યજ્ઞેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં 70 વર્ષ તેમજ 80 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનર્સ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પેન્શનર્સનાં પૌત્ર-પૌત્રીઓ જે અભ્યાસ કરતા હોય તેઓને પ્રોત્સાહિત પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત મહેમાન ડોક્ટર હાર્દિક રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટ અને વાંકાનેરના નિવૃત પેન્શનર પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનને અંતે સહ પરિવાર ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું .આ સ્નેહમિલનના આયોજનમાં પી.એચ. અઢીયા તેમજ પી. આર. રાઠોડનું યોગદાન તેમજ માર્ગદર્શન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર. રાવલે કર્યું હતું.

- text

- text