મોરબીમાં સ્વજનના સ્મરણાર્થે 20 ડિસેમ્બરે ફ્રી અગ્નિકર્મ સારવાર કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઇએમએ મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી 20 ડિસેમ્બરે ફ્રી અગ્નિકર્મ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ફ્રી અગ્નિકર્મ સારવાર કેમ્પ તારીખ 20/12/2023ને બુધવારે સવારે 09:00 થી 1:00 તથા સાંજે 4:00થી 6:00 રુદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ દુ.નં.3-4, શિવ શક્તિ પ્લાઝા, નાની કેનાલ ચોકડી, પંચાસર રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં ડો. પરેશ ડી.ડાભી સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે ડો.હાર્દિક જેસ્વાણી (92288 00108) પર ફક્ત whatsapp મેસેજ કરવાનો રહેશે. કેમ્પમાં આવનાર દર્દીએ જુની ફાઈલ, એક્સરે, એમઆરઆઇ તથા અન્ય રિપોર્ટ સાથે લાવવા જણાવ્યું છે.

- text

- text