તા.19મીએ ભારતીય વિચાર મંચ દ્વારા મોરબીમાં જાહેર વ્યાખ્યાન યોજાશે 

- text


મોરબી : ‘आ नो भद्रा क्रतवो यन्तु विश्वत:’ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ વિષયો પરની વિચાર ગોષ્ઠી અને વ્યાખ્યાનના કાર્યક્રમો થકી મોરબીના પ્રબુદ્ધજનોમાં જાણીતા ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા આગામી તારીખ 19 ડિસેમ્બર ને મંગળવારે રાત્રે 9 વાગ્યે સરસ્વતી શીશુ મંદિર શનાળા મુકામે બદલતે સમયમે હિન્દુત્વ કી પરિભાષા વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજાશે.

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા આયોજિત વ્યાખ્યાનમાં પોતાના વિવિધ પુસ્તકોને લીધે જાણીતા લેખક તથા વિચારક અને અખિલ ભારતીય પ્રજ્ઞા પ્રવાહના સંયોજક જે. નંદકુમારજી સંવાદ પ્રસ્થાપિત કરશે. મોરબીના પ્રબુદ્ધજનોને આ કાર્યક્રમમાં સહપરિવાર મિત્રમંડળ સાથે પધારવા ભારતીય વિચાર મંચના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.નં. 98790 24410) તથા સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજાની યાદીમાં જણાવાયું છે.

- text

- text