આવતીકાલે મોરબીના કલેકટર બંગલાથી જેલ રોડ સુધી વીજકાપ રહેશે

- text


મોરબી : મોરબી પીજીવીસીએલના પેટા વિભાગ-2 હેઠળના સિટી ફીડરમાં આવતા કલેકટર બંગલાથી લઈ નહેરુ ગેઇટ અને જેલ રોડ સુધીના વિસ્તારોમાં તા. 17ને રવિવારના સવારે 7:30 થી બપોરના 2:30 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

- text

મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળના સિટી ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે જજ બંગલો, કલેક્ટર બંગલો, ખાટકીવાસ, મોતી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહાર શેરી, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, કડિયા કુંભાર શેરી, સુભાષ રોડ, નાસ્તા ગલી, નેહરૂ ગેટથી ગ્રીનચોકનો વિસ્તાર, કાપડ બજાર, લુવાનપરા, સિપાઈવાસ, જેલ રોડ, લખધીરવાસ તથા આસપાસના વિસ્તારોમાં સમારકામ હેતુસર વીજપુરવઠો બંધ રહેશે. કામ પૂર્ણ થતાં કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજપુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. જેની નોંધ લેવા ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text