મોરબીના નહેરૂગેટ આસપાસના વિસ્તારોમાં કાલે રવિવારે વીજકાપ

- text


મોરબી : મોરબીના હોસ્પિટલ ફીડર હેઠળ આવતા નહેરુ ગેટ આસપાસના તમામ વિસ્તારોમાં આવતીકાલે રવિવારે વીજકાપ રહેશે.

આવતીકાલ તારીખ 17/12/2023ને રવિવારના રોજ નવા કામની કામગીરી કરવાની હોઇ જેથી PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પીટલ ફીડર સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

- text

- text