મોરબીથી લાપતા બનેલા પિતા-પુત્ર મળી આવ્યા 

- text


મોરબી : મોરબી શહેરના રૂષભનગર વિસ્તારમાં રહેતા પિતાપુત્ર માનસિક બીમાર હોય ઘેરથી ગાંધીનગર જવાનું કહી નીકળ્યા બાદ પરત ઘેર ન આવતા લાપતા બનેલા બન્ને પિતાપુત્ર અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં તેમના નાના પુત્રએ ગુમસુધા નોંધ કરાવ્યા બાદ બન્ને ગઈકાલે ઘેર પરત આવી જતા પોલીસ અને પરિવારે હાશકારો અનુભવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઋષભનગર 1 મા રહેતા હિતેશભાઈ કિશોરભાઈ ત્રિવેદી ઉ.64 અને તેમના પુત્ર ચિરાગભાઈ હિતેશભાઈ ત્રિવેદી ઉ.34 માનસિક બીમાર હોય ગાંધીનગર દવા લેવાનું જવાનું કહી નીકળ્યા બાદ ગત તા.6ના રોજ લાપતા બની જતા તેમના પુત્ર મિતેનભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી હતી જે બાદ ગઈકાલે બન્ને પિતાપુત્ર ઘેર પરત આવી જતા પોલીસ અને પરિવારે નિરાંતનો શ્વાસ લીધો હતો.

- text

- text