- text
હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં વાડી વાવવા રાખનાર અનિલભાઇ દેવજીભાઇ રાતોજા ઉ.25 નામના યુવાન ગત તા.2 ના રોજ જીરાના પાંકમા દવા છટકાવ કરવાનુ કામ કરતા હતા ત્યારે પાણીની તરસ લાગતા ભુલથી પાણીના બદલે દવાવાળુ પાણી પી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવ બાબતે તેમના ભાઈ સુનિલભાઇ દેવજીભાઇ રાતોજા દ્વારા હળવદ પોલીસ મથકમાં જાહેર કરતા હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
- text
- text