15 ડિસેમ્બરે મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના 121 માં ફ્રી સારવાર કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સ્વ. નિરુપમાબેન મનહરલાલ રાવલ તથા સ્વ. નર્મદાબેન રાવલની પુનિત યાદમાં આગામી તારીખ 15 ડિસેમ્બરના રોજ મોરબીમાં ડો. હસ્તીબેન મેહતાના 121માં એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

15 ડિસેમ્બર ને શુક્રવારે સવારે 11 થી 1 વાગ્યા સુધી મોરબીના નવલખી રોડ પર બોડાસર વાડી બોડસર પ્રાથમિક શાળા ખાતે આ ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે અને ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે.

- text

- text