હળવદમાં નશીલી આયુર્વેદિક શિરપની 111 બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : ખેડામાં નશીલી આયુર્વેદિક શિરપ પીધા બાદ પાચન મોત નિપજતા રાજ્યભરમાં નશીલા શિરપના ધંધા ઉપર તૂટી પડવા ગૃહ વિભાગના આદેશો છુટતા મોરબી એલસીબી ટીમે હળવદમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી નશીલા આયુર્વેદિક શિરપની 111 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા પ્રવીણ કાનજીભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં દરોડો પાડી નશીલા આયુર્વેદિક શિરપની 111 બોટલ કિંમત રૂપિયા 16,,650નો જથ્થો કબ્જે કરી હળવદ પોલીસ મથકમાં સીઆરપીસી મુજબ શીરપનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી હતી.

 

- text