રણછોડગઢ ગામે કાલે રવિવારે ડઢૈયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ

- text


હળવદ : હળવદના રણછોડગઢ (ઝુંડ) ગામે ડઢૈયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મઢે હોમાત્મક નવચંડી યજ્ઞનું કાલે તા.3 ડીસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7:15 કલાકે યજ્ઞ શરૂ થશે. જેમાં 11:30 કલાકે શ્રી ફળ હોમાશે. 12 કલાકે મહાપ્રસાદ યોજાશે. આજે તા.2ના રોજ રાત્રે 9 કલાકે ડાકની રમઝટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા ડઢૈયા પરિવારના તમામ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text