મોરબીમાં સ્વજનોને શ્રદ્ધાંજલી આપવા ધૂન – ભજનનો કાર્યક્રમ 

- text


નામાંકિત અશોક ભાયાણી સહિતના કલાકારો ધૂન – ભજનની રમઝટ બોલાવશે

મોરબી : તાજેતરમાં મોરબીથી દ્વારકા ચાલીને જતા સ્વ. કરશનભાઇ ભાડજા, સ્વ. રમેશભાઈ ભાડજા, સ્વ. પરેશભાઈ લિખિયા તેમજ પ્રાણજીવનભાઈ ઠોરિયાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા તેઓના આત્માની શાંતિ અર્થે અને સેવા કાર્યોના લાભાર્થે જાણીતા કલાકાર અશોક ભાયાણી અને મિલન પટેલના ધૂન ભજનનો કાર્યક્રમ આજે તા.25ને શનિવારે રાત્રે 8.30 કલાકે, સન સીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. તો આ ધૂન- ભજનનો લાભ લેવા લોકોને સદગતના પરિવારજનો દ્વારા અપીલ કરાઈ છે.

- text

- text