વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે સ્નેહમિલન યોજાયું

- text


વાંકાનેર : દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયત્રી પરિવાર દ્વારા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે તારીખ 16 નવેમ્બર ને સાંજે 5 કલાકે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ગાયત્રી શક્તિપીઠ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌએ એકબીજાને નૂતન વર્ષ સુખમય, સમૃદ્ધિમય નિવડે તેવી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમને અંતે સૌ પરિવારજનોએ સમૂહ ભોજન લીધું હતું.

- text

- text