ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર દિવાળીએ 5100 દીવડાથી ઝગમગી ઉઠશે

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન બાજુમાં નવલખી રોડ ઉપર આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પ્રત્યે મોટી સંખ્યામાં લોકોને ભારે શ્રદ્ધા છે. આ મેલડી માતાજીના મંદિરે દરરોજ અને વારે તહેવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને દર્શનનો લાભ લે છે. ત્યારે પ્રકાશન પર્વ દિવાળીમાં દીપ પ્રગટાવી જીવનને ઉમગ ઉલ્લાસથી ભરી દેવાની પરંપરા હોવાથી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરને અદભુત રીતે શણગાર કરવામાં આવ્યો છે અને દિવાળીના દિવસે તા.12ને રવિવારે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 5100 દીવડા પ્રગટાવી આ દીપમાળાની મહાઆરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર 5100 દીવડાની મહાઆરતીથી ઝગમગી ઉઠશે. તેથી આ દીપમાળાની મહાઆરતીનો મોટી સંખ્યામાં ભક્તજનોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- text

- text