- text
મોરબી : મોરબીના ખરેડા ગામે શ્રી નકલંક ગૌ સેવા નાટક મંડળ- ખરેડા દ્વારા નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 11 નવેમ્બર ને શનિવારે ધનતેરસ નિમિત્તે રાત્રે 9-30 કલાકે ખરેડા ગામના બસ સ્ટેન્ડ સામે નકલંક ગૌ સેવા નાટક મંડળ દ્વારા સતના પારખા નાટક અને દીકરો દયારામ કોમિક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સમસ્ત ખરેડા ગામ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- text
- text