મોરબીમાં સતવારા સમાજના ભામાશાઓનું ભવ્ય સન્માન

- text


મોરબી : મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા જ્ઞાતિના ભામાશાઓનો સન્માન સમારંભ સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજાયેલ હતો.

કાર્યક્રમની શરૂઆત સમુહ પ્રાર્થના અને મહેમાનોને હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મહેમાનોનું શબ્દોથી સ્વાગત સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલે કરેલ. ત્યારબાદ મહેમાનોનું હારતોરાથી ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સતવારા જ્ઞાતિ સમાજ સમાજ સેવા મંડળનો અહેવાલ આપતા લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું હતું કે, આ મંડળ 56 વર્ષથી કાર્યરત છે આ મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને રૂપિયા 80,000 ની આસપાસનો થાય છે, અત્યારે 105 કુટુંબોને આ મંડળ સહાય કરે છેઃ. આ મંડળને વર્ષે આશરે 800 મણ અનાજ ,150 મણ ચોખા, 75 મણ મગ ,75 મણ ગોળ, તેમજ હોળી, સાતમ, દશેરા, દિવાળી વગેરે તહેવારો વખતે દાતાઓ પાસેથી કીટ બનાવીને પણ આપવામાં આવે છે.

આ ખર્ચને પહોંચી વળવા આજે મંડળની 33 લાખ જેવી એફડી છે. તેમજ દર માસે -દર વર્ષે ફાળો આપતા દાતાઓ ,અનાજના રૂપમાં ફાળો આપતા દાતાઓ ,દરેક ધાર્મિક તહેવારોએ કીટ નો ફાળો આપતા દાતાઓનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વર્ષ 2022- 23 ના દાતાઓનું ફૂલહાર ,સાલ અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે દેવજીભાઈ ચાવડાએ અન્નદાનના મહત્વ વિશે, હસમુખ ચાવડાએ દાતાઓને પ્રોત્સાહિત કર્યા, મનજીભાઈ કંઝારીયાએ દાતાઓને આવા કામમાં આગળ આવવા વિનંતી કરી હતી. આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળોના ફી રોજમેળ લખી અને ઓડિટ કરાવતા લાલજીભાઈ જાદવનું અને ગણેશ સ્ટુડિયો- કાંતિભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું કે, સમાજમાં જ્ઞાતિના અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે આવકાર્ય છે . તે સમાજના ઉત્કર્ષ માટે કામ કરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવેલ. સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળનો દાતાઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે યોજાતા કાર્યક્રમમાં સર્વે દાતાઓ ,જ્ઞાતિના આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા, તેમને અભિનંદન પાઠવેલ. સર્વે મહેમાનોનો આભાર આ સંસ્થાના ટ્રસ્ટી પ્રભુભાઈ નકુમે માન્યો હતો.

- text

આ પ્રસંગે સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયા, મોરબી સતવારા જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ , ઉપપ્રમુખશ્રી રાઘવજીભાઈ કંઝારિયા,મંત્રીશ્રી પ્રવીણભાઈ પરમાર, ટ્રસ્ટીઓ, પ્રભુભાઈ નકુમ, હરિભાઈ કંઝારિયા, મણીભાઈ પરમાર, લક્ષ્મણભાઈ પરમાર, કાનજીભાઈ ચાવડા, મનજીભાઈ ડાભી, લખમણભાઇ કંઝારિયા તેમ જ આગેવાન ભાઈ- બહેનો વગેરે ઉપસ્થિત રહી, કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ ડાભીએ કરેલ કરેલ. તેમ ડો. લખમણભાઇ કંઝારિયાની યાદીમાં જણાવાયું છે.

- text