મોરબીમાં રવિવારે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રાહતદરે નેચરલ વસ્તુઓનું વેચાણ

- text


મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા.5 ને રવિવારે સવારે 8 થી 12 વાગ્યા સુધી માર્કેટીંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

જેમાં રાહતદરે 10 જાતના ગુલાબ તેમજ અન્ય અલગ-અલગ ફૂલછોડનું વિતરણ, હરડે પાવડર, ગીલોય ઘન વતી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે તેમજ ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળાં-અરીઠાં, શિકાકાઈ પાવડર, સિંધાલૂણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ વસ્તુઓ વગેરે રાહતદરે મળી રહેશે. મોરબી તેમજ આસપાસની જનતાને આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં જીતુભાઈ ઠક્કરે જણાવ્યું છે.

- text

- text