મોરબીની ડી.સી. મહેતા સાર્વજનિક દવાખાને તા.4 અને 5ના રોજ કેન્સર નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી ખાતે આગામી તારીખ 4 અને 5 નવેમ્બરના રોજ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દર બે માસે રેગ્યુલર યોજાતો આ કેમ્પ આગામી તારીખ 4 નવેમ્બરના રોજ સાંજે 4 થી 7 વાગ્યે અને 5 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનાર આ કેમ્પના દાતા ઉદયભાઈ વિનોદભાઈ મહેતા છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે. કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને મો.નં. 9537099219 પર નોંધાવી આપવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે જણાવ્યું છે.

- text

- text