માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

- text


માળિયા : માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને બોડકી પ્રાથમિક શાળાના આચાર્ય વિનોદ સવજીભાઈ રાઠોડનો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ મોટા દહિંસરા તાલુકા શાળા અને પેટા શાળા શિક્ષક પરીવાર દ્વારા સનાતન હોટલ બરવાળા ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. શર્મિલાબેન હુમલ , માળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દેથરિયા, હાલના મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ પ્રભાતભાઇ લાવડિયા, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી કાનાભાઈ રાઠોડ, માળિયા બી.આર.સી મહેન્દ્રભાઈ, રાજકોટ ડાયટના લેકચરર હમીરભાઇ, ગંગાબેન, મોટા દહિંસરાના સરપંચ જશાભાઇ તેમજ માળિયા તાલુકાના બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ/બહેનોએ હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.

કાર્યક્રમમાં મોટા દહિસરા તાલુકા શાળા અને પેટા શાળા શિક્ષક પરીવાર વતી દરેક શાળાએ વિનુભાઈનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. માળિયા તાલુકા પંચાયત કચેરી દ્વારા તેમજ આમંત્રિત મહેમાનોએ વિનુભાઈ રાઠોડનું ભવ્ય સન્માન કરીને નિવૃત્તિ જીવન સુખમય નીવડે તેવા આશિષ આપ્યા હતા .

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખીરસરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ એસ.હુંબલ, નાના દહિસરા પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિભાઈ માનસેતા, મોટા દહિસરા કન્યા શાળાના આચાર્ય રવિભાઈ ધ્રાંગાએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text

- text