- text
સનાતન ધર્મ યાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી લોકોને સનાતન ધર્મનો મર્મ સમજાવી જાગૃત કરાયા
મોરબી : દ્વારાકાથી સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે નીકળેલી સનાતન ધર્મ યાત્રા ગઈકાલે હળવદ ખાતે પહોંચ્યા બાદ આજે આ યાત્રા મોરબી પહોંચી હતી.સનાતન ધર્મ યાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી લોકોને સનાતન ધર્મનો મર્મ સમજાવી જાગૃત કરાયા હતા.
મોરબીમાં આવી પહોંચેલી સનાતન ધર્મ યાત્રા શહેરરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને આ યાત્રામાં દેશભરના સાધુ સંતો જોડાયા છે અને યાત્રામાં જોડાયેલા સાધુ સંતોએ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે અલગ અલગ કરતબો રજૂ કર્યા હતા. સ્થાનિક હિન્દૂ સંગઠનોએ સનાત્મ ધર્મ યાત્રા પર પૃષ્પવર્ષા કરીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ યાત્રા શહેરના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરેથી શક્તિ ચોક, નહેરુ ગેઇટ સહિતના માર્ગો પર ફરી શક્ત શનાળા ખાતે પહોંચી હતી.
- text
- text