ચંદ્રગ્રહણને કારણે મોરબીના મોટાભાગના મંદિરો બંધ રહ્યા

- text


કેટલાક મંદિરો માત્ર દર્શન માટે ખુલ્લા રહ્યા

મોરબી : આજે ચંદ્રગ્રહણને કારણે શનિવારે બપોર બાદ મોરબીના મોટાભાગના મંદિરો બંધ રહ્યા છે. જ્યારે અમુક મંદિરો માત્ર દર્શન માટે જ ખુલ્લા રહ્યા હતા.

આજે ચંદ્રગ્રહણને પગલે મોરબીના ઘણા બધા મંદિરોને બપોર બાદ બંધ રાખવામાં આવ્યા છે. જેમાં નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ મંદિર, રફાળેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર, રામ મહલ મંદિરને આરતી પૂજા કરીને બપોર પછી બંધ કરવામાં આવ્યા હતા. આ મંદિરો આવતીકાલે સવારે જ ખુલશે. જ્યારે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર માત્ર દર્શન માટે જ ખુલ્લું રાખવામાં આવ્યું છે.

- text

- text