મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા સાર્થક વિદ્યામંદિરે રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ

- text


મોરબી : મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને રવિવારના રોજ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

- text

હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા મોરબીના સાર્થક વિદ્યામંદિરે 29 ઓક્ટોબર ને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ કરાશે. આ ઉપરાંત હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીનો લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વગેરેનું વેચાણ કરાશે. આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

- text