- text
મોરબી : મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “મુસ્કાનની રમઝટ, મોરબીને સંગ” ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા સ્પર્ધાનું આયોજન કરીને સંસ્કૃતિ અને એકતાની ઉજવણી કરવામાં આવી હતી.
મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે ગત તારીખ 25 ઓક્ટોબરના રોજ સાંજે ભવ્ય ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ ગરબા સ્પર્ધામાં 3 કેટેગરીમાં 6 ઈનામ આપવામાં આવ્યા હતા. આમ કુલ 18 સ્પર્ધકોને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે અન્ય સ્પર્ધકોને સ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી.
આ ગરબા સ્પર્ધામાં કાજલબેન મહેતા અને કાજલ સિદ્ધાર્થભાઈ મહેતા નિર્ણાયક તરીકે જોડાયા હતા. સહભાગીઓ અને ઉપસ્થિતોએ સ્વાદિષ્ટ નાસ્તોનો આનંદ પણ માણ્યો હતો. મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીની જનતાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરાયો હતો.
- text
- text