સ્વ.ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે દેહદાન સંકલ્પનો પ્રારંભ કરતા ગોવિંદભાઇ વરમોરા

- text


 

મોરબી : સ્વ. ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથી નિમિત્તે આવતીકાલે બુધવારે સમગ્ર સૌરાષ્ટ્રમા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા દેહદાન સંકલ્પ યોજાનાર છે. જે નિમિતે આજ રોજ દેહદાન કરવાના સંકલ્પ લેવાની શરૂઆત ગોવિંદભાઇ વરમોરા (ચેરમેન- સનહાર્ટ ગ્રુપ ) તરફથી કરવામા આવેલ છે.

દેહદાનનો સંકલ્પ કરનાર ગોવિંદભાઇ વરમોરા એ જણાવ્યુ કે મારા જીવનમા જેમની હંમેશા પ્રેરણા રહી છે. તેવા પ્રેરણામુર્તિ ઓ.આર.પટેલ સાહેબની પુણ્યતિથીએ મને સંકલ્પ લેવાની પ્રેરણા મળી ત્યારે મોરબી વાસીઓ આવતી કાલના બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વડીલોને દેહદાન સંકલ્પ લેવા માટે બહોળી સંખ્યામા આવવા માટે આહવાન છે.

- text

- text