8 ઓક્ટોબરે મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ

- text


મોરબી : મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા મોરબીમાં આગામી તારીખ 8 ઓક્ટોબર ને રવિવારના રોજ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવનાર છે.

હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આરડીસી બેંકના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે 8 ઓક્ટોબર ને રવિવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી રાહતદરે ફૂલછોડનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ડાંગની રાગીનો લોટ, હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક,દે શી ગોળ, કેળાના પાપડ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

- text

- text