મોરબીના ચરાડવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : સરકારના આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ચરાડવા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નિદાન કેમ્પમાં GMERS મેડીકલ કોલેજની ટીમ અને સિવિલ હોસ્પિટલ મોરબીનાં જુદા જુદા ૧૦ વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ દ્વારા સેવા આપવામાં આવી હતી.જેમાં લોકોને વિનામુલ્યે તપાસ તથા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ પેથોલોજીસ્ટ ટીમ દ્વારા આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ સ્વૈછીક રક્દાન કરી રક્તદાન મહાદાન જેવા સંકલ્પને સાકાર કરવામાં આવ્યુ્ હતું.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફીસ- હળવદ દ્વારા સરકારની આરોગ્યલક્ષી યોજનાના ખૂબજ જરૂરી એવા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ લોકોને સ્થળ પર જ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર જી.ટી.પંડયા,જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણ ભાઈ સોનાગ્રા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ , તાલુકા પંચાયત સદસ્ય માવજીભાઈ તેમજ ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચ તથા અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ચરાડવા, પ્રા.આ.કેન્દ્ર જુના દેવાળિયા તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીનાં સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠવામાં આવી હતી.

- text

- text