શક્ત શનાળામાં છેલ્લા 13 વર્ષથી પદયાત્રીઓ માટે ચાલતો સેવા કેમ્પ

- text


મોરબી : શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર સામે બાપા સીતારામ ગ્રુપ દ્વારા 13 વર્ષથી આશાપુરા માતાજીના મંદિરે જતા પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ સુખદેવભાઈ રામજીભાઈ કાંજીયા દ્વારા મિત્રો અને આગેવાનોના સહકારથી આ કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે. કેમ્પમાં નાસ્તા, પાણી, રહેવાનું, આરોગ્ય સેવા આપવામાં આવે છે. કેમ્પમાં છેલ્લા દિવસે બાળકોને જમાડી કેમ્પની પૂર્ણાહુતી કરવામાં આવે છે.

- text

- text