મોરબીમાં ABVP દ્વારા TET TATના પરીક્ષાર્થીઓના ન્યાય માટે ધરણા

- text


મોરબી :ABVP મોરબી દ્વારા જ્ઞાન સહાયક ભરતીને લઈ TET TATના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષથી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. TET TATની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમા ABVP અને ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

- text

- text