મોરબીમાં જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર સંકલ્પદિનની ઉજવણી

- text


મોરબી : ગત તારીખ 23 સપ્ટેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર સંકલ્પદિનની ઉજવણી મોરબીના જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી.

જવાહર સોસાયટી યુવા સંગઠનના મિત્રોએ સંકલ્પ દિવસની ઉજવણી નિમિત્તે આંગણવાડીમાં બાળકોને ડિજિટલ માધ્યમથી અવનવું શિક્ષણ મેળવે તે હેતુથી સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી ભેટમાં આપ્યું હતું. આંગણવાડી કાર્યકર રેખાબહેનના હસ્તે આ ટીવીનું અનાવરણ કરાયું હતું. સાથે જ રેખાબેનનું પુષ્પવર્ષા કરીને સ્વાગત તેમજ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર, સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સીમાબેન મુછડીયા, મુકેશભાઈ ઉભડીયા, મંજુલાબેન ચૌહાણ, દિનેશભાઈ પરમાર, ગોપાલભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકીનું પણ સન્માન કરાયું હતું. જવાહર સોસાયટી (નઝરબાગ) આંગણવાડીના કાર્યકર આરતીબેન રામાવતે જવાહર યુવા સંગઠનના તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોને ખીર-પૂરીનું ભોજન કરાવાયું હતું.

- text

- text