સંસ્કૃત ભારતી મોરબી દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃત ભાષા વિષય પર વિસ્તૃત બેઠકનું આયોજન

- text


મોરબી : સંસ્કૃત ભારતી મોરબી દ્વારા આજે રાત્રે સનાતન ધર્મ અને સંસ્કૃત ભાષા વિષય પર વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડની સામે આવેલા જુના શિશુ મંદિરમાં આજે 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8-30 થી 10 વાગ્યા દરમિયાન યોજાનાર આ વિસ્તૃત બેઠકમાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ- સંસ્કૃત ભારતીના શિરીષકુમાર ભેડસંગાવકર વક્તા તરીકે ઉપસ્થિત રહીને સનાતન અને સંસ્કૃત ભાષા પર પ્રવચન આપશે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વે સંસ્કૃત અનુરાગીઓને જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કિશોરભાઈ શુક્લ- 98257 41868 અથવા મયુરભાઈ શુકલ- 98256 33154નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text