મોરબીમાં વરસાદ વચ્ચે ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરતા કારીગરોને નાસ્તો કરાવતા સેવાભાવી

- text


મોરબી : મોરબીમાં ગણેશ મહોત્સવને પણ ઘણા સમયથી બહારગામના કારીગરો દ્વારા ઘણા સમયથી ગણેશજીની મૂર્તિઓ બનાવીને પંડાલો નાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આજે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ઘણા લોકો છેલ્લી ઘડીએ મૂર્તિઓ લેવા આવતા વરસતા વરસાદ વચ્ચે કારીગરો દ્વારા પંડાલો નાખીને મૂર્તિઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારે વરસતા વરસાદમાં આ લોકોને ભોજન કરવાનો પણ ટાઈમ ન મળતા ભાજપ અગ્રણી અને સેવાભાવી નરેન્દ્રભાઈ પોપટ દ્વારા વરસાદ વચ્ચે પણ આવા કારીગરો પાસે રૂબરૂ જઈને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સેવાભાવીએ આ કારીગરોને નાસ્તો ખવડાવી માનવતા દીપાવી હતી.

- text

- text