- text
મોરબી : મોરબી શહેરના સર્કિટ હાઉસ મેઈન રોડ ઉપર સંતોષ સિલેક્શનની બાજુમાં શિવ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલા કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં આવતીકાલે તારીખ 20 સપ્ટેમ્બર ને બુધવારના રોજ ફ્રોઝન શોલ્ડરના સારવારનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે.
કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે બુધવારે સવારે 9 થી 12 અને સાંજે 4.30 થી 8 વાગ્યા સુધી ફ્રોઝન શોલ્ડરના દુઃખાવાનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જે લોકો ખંભાના દુઃખાવાથી પરેશાન હોય તેઓ આ કેમ્પનો લાભ લઈ શકશે. આ કેમ્પમાં ડો. મિતલ રૈયાણી સેવા આપશે.
- text
- text