16 સપ્ટેમ્બરે સીમા જાગરણ મંચ મોરબી દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

- text


મોરબી : આવતીકાલે 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ હોય મોરબી જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.

મહાસાગરો અને દરિયા કિનારા પરના કચરાના સંચય અને તેની નકારાત્મક અસરો વિશે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય સાગર તટીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. જેમાં વર્ષામેળી, બોડકી અને સોલંકીનગરમાં ગ્રામજનો અને કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે. આવતીકાલે 16 સપ્ટેમ્બરના રોજ સવારે 8 કલાકે ત્રણેય ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

- text

- text