- text
વાંકાનેર : વાંકાનેર BRC ભવન ખાતે તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર તાલુકામાંથી કુલ 25 ઇનોવેટીવ ટીચર દ્વારા પોતાના ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા. ડાયટ રાજકોટમાંથી વાંકાનેરના લાયઝન ઓફિસર ડો. નિશાત બાબીની આગેવાનીમાં નિર્ણાયક ટીમ દ્વારા આવેલ તમામ ઇનોવેટિવ ટીચર્સનું મૂલ્યાંકન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
કાર્યક્રમનું સફળ સંચાલન કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ નિર્ણાયક તરીકે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી વિશાલભાઈ, સીઆરસી કોઓર્ડીનેટર અમિતભાઇ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની સંપૂર્ણ જેહમત તાલુકાના બીઆરસી કોર્ડીનેટર પરમાર મયુરરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવી હતી.
- text
- text