મોરબીમાં યોજાનાર રામકથાના ડોમમાં વીજશોક લાગતા યુવાનનું મોત

- text


મોબાઈલ ચાર્જ કરવા જતા બનેલી ઘટના

મોરબી : મોરબીમાં યોજાનાર મોરારી બાપુની કથાને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ગઈકાલે કથા મંડપમાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ નિપજયું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબમોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ કબીર આશ્રમ ખાતે ઝૂલતા પુલ દુર્ઘટના દિવંગત આત્માઓના મોક્ષાર્થે યોજાનાર રામ કથાનું આયોજન અન્વયે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કથા મંડપનું કામ કરી રહેલા કેશોદના શેરગઢ ગામના શ્રમિક પ્રતિક રાજુભાઈ બાબરીયા મોબાઇલ ચાર્જ કરવા જતાં વીજ શોક લાગતા શોક લાગતા મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- text