વાંકાનેર યાર્ડમાં પીરઝાદાનો દબદબો યથાવત, કોંગ્રેસનો વિજય

- text


પ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ ગોરીયા ચૂંટાયા

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણીમાં પૂર્વ ધારાસભ્ય પીરઝાદાનો દબદબો યથાવત રહ્યો છે. પ્રમુખ તરીકે કોંગ્રેસ પેનલના ગુલામભાઈ પરાસરા અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ ગોરીયા વિજેતા જાહેર થયા છે.

માર્કેટિંગ યાર્ડમાં બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરીયાનો વિજય થયો છે. આ ચુંટણીમાં કુલ 18 મતોમાંથી કોંગ્રેસના બંને ઉમેદવારોને 11 મત તથા ભાજપના ઉમેદવારને 7 મતો મળ્યા હતા.

- text

આ ચુંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જલાલભાઈ અલીભાઈ શેરસીયા તથા ઉપપ્રમુખ તરીકે ઇસ્માઇલભાઇ ફતેમામદ કડીવારએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં બંને ઉમેદવારોને 07 મતો મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના ઉમેદવારને 11 મતો મળતા તે વિજેતા જાહેર કરાયા છે. જો કે ભાજપનો એક મત પણ કોંગ્રેસને મળતા રાજકારણ ગરમાયુ છે.

- text