- text
હળવદ : હળવદના મહર્ષિ ગુરૂકુળ કેમ્પસ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
હળવદમાં મહર્ષિ ગુરૂકુળ હોસ્ટેલ સાથેનું કેમ્પસ ધરાવતી સંસ્થા છે. તેમજ ત્યાં ભારતીય જ્ઞાન પરંપરા અને ભારતીય ઉત્સવોને ભારતની પધ્ધતિ મુજબ જ ઉજવીને આવનારી પેઢીને એક દીશા આપવાનું કામ કરવામાં આવે છે. તેના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા કેજી થી પીજી સુધીના 3000થી પણ વધુ વિદ્યાર્થીઓ કૃષ્ણ જન્મના રંગમાં રંગાયા હતા. મહર્ષિ ગુરૂકુળના મેનેજીંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આપણી પરંપરા, આપણા ઉત્સવો અને સનાતન સંસ્કૃતિની સમજ આપવી, ઓળખ આપવીએ શૈક્ષણિક સંસ્થાઓનું દાયિત્વ છે એટલે જ અમે મહર્ષિ ગુરૂકુળમાં ભારતીય સંસ્કૃતિના તમામ ઉત્સવો પૂરી શ્રધ્ધા સાથે ઉજવીએ છીએ.
- text
- text