7 સપ્ટેમ્બરે બગથળા ગામે શોભાયાત્રા અને મટકીફોડનું આયોજન

- text


મોરબી : તાલુકાના બગથળા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બગથળા ગામે જય ગોપાલ ગ્રુપ ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે 7 સપ્ટેમ્બરે રાત્રે 9 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નકલંક મંદિરેથી નીકળીને નિશાળના ચોકમાં આવશે અને દામજી ભગતની હાજરીમાં ઠાકરને તેડીને ચોકમાં ડીજેના તાલે રાસ-ગરબા રમાડવામાં આવશે. ત્યારબાદ ભવ્ય આરતી કરવામાં આવશે અને રાત્રે 12 કલાકે મટકીફોડ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉમટી પડવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text