ઝેરી દવા પી લેનાર વાંકાનેર ભલગામના યુવકે રક્ષાબંધનના બીજા દિવસે દમ તોડ્યો

- text


ત્રણ બહેનના એકના એક ભાઈના મૃત્યુથી પરિવારમાં શોક 

વાંકાનેર : વાંકાનેર તાલુકના ભલગામમાં વાડીમાં જઇને કોઇ કારણસર ઝેરી દવા પી લેનાર યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રક્ષાબંધનના બીજા દિવસે યુવકનું મોત થતાં ત્રણ બહેને એકનોએક ભાઇ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા 22 વર્ષીય વિશાલ કાળુભાઈ મારુએ ગત 2 ઓગસ્ટના રોજ પોતાની વાડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ ગંભીર હાલતમાં વિશાલને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.નોંધનીય છે કે, મૃતક વિશાલના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતા.બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા વિશાલે શા માટે આ પગલું ભર્યું તે દિશામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text

- text