મોરબીમાં આશ્રય લઈ રહેલા પાકિસ્તાનના હિન્દુઓને રાખડી બાંધવામાં આવી 

- text


મોરબી : હિન્દુ સમાજના 45 જેટલા પાકિસ્તાનના લોકો મોરબી કલેકટર કચેરીની બાજુમાં આવેલી કોળી સમાજની વાડીમાં આશરો લઈ રહ્યા છે. ત્યારે આ લોકોને આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે આગેવાનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.

પરિવારથી વિખુટા પડેલા આ લોકોને રક્ષાબંધનના પર્વે પરિવારની યાદ ન આવે તેવા શુભ આશયથી હિન્દુ સમાજની સંસ્કૃતિ મુજબ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનોએ પાકિસ્તાનથી આવેલા હિન્દુ સમાજના 29 બાળકો, 7 પુરુષો અને 9 મહિલાઓ એમ કુલ 45 લોકોને તિલક કરીને જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવીને રાખડી બાંધી હતી અને મોં મીઠા કરાવ્યા હતા.

- text

- text