મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિધાર્થી સન્માન સાથે સ્નેહમિલન યોજાયુ

- text


કે.જી થી કોલેજ સુધીના 150 વિધાર્થીઓને સન્માન અને શિક્ષણકીટ અપાઈ

મોરબી : મોરબીમાં સિદ્ધિ વિનાયક વાડી ખાતે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન યોજાયું હતું જેમાં કે.જી થી કોલેજ ને એમબીએ સહિતની ઉચ્ચ ડીગ્રી ધરાવતા કુલ 150 વિધાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં દરેક વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ શિલ્ડ શિક્ષણકીટને શિક્ષણ ઉપયોગી ભેટ ઉપસ્થિત સંતો મહંતો સમાજના આગેવાનોને અગ્રણીઓ પત્રકારોના હસ્તે અપાયા હતા.

મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનું સુંદર આયોજન કરવા બદલ સમગ્ર યુવક મંડળ ટિમનું ઉપસ્થિત સંતો મહંતોને મહાનુભાવોએ સન્માન કર્યું હતું. આ સમારોહમાં સંતો, મહંતો સહિત મોરબી રાજકોટ સુરેન્દ્રનગર સહિત શહેરોના ગોસ્વામી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ડો. મનીશપુરી ગોસ્વામી, રાજકોટ નિવૃત પી.એસ.આઈ. સોમગીરી બાપુએ જણાવ્યું હતું વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરો તેમને સારા પુસ્તકો અને શિવધર્મનું જ્ઞાન આપો જેથી ધર્મ પરિવર્તન જેવા કિસ્સા ન બને સમાજમાં બાળકોને મોબાઈલની વધુ પડતી ટેવ ન પાડો, સંતાનોના ભણવા પર ભાર મુક્તા વધુમાં જણાવ્યું હતું કે, સંતાનોના ભણતરમાં માત્ર માતા નહિ માતા પિતા બંનેની પુરી જવાબદારી છે. તમારા બાળકોને વધુને વધુ ભણાવો જેથી તેનું પરિવારનું સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને. આપણા બાળકો જેટલા ઉચ્ચ પદવી પર જશે એટલું સમાજનું ગૌરવ વધશે. સમારોહમાં હવે પછી રક્તદાન કેમ્પનું આયોજન કરવા પણ અપીલ કરી હતી.

આ સમારોહમાં ડો. જયદીપભાઈ ગોસ્વામી, સીએ સુકેતુગિરી ગોસ્વામી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપ પ્રમુખ બળદેવગીરી, ટ્રસ્ટી અમીતગીરી ગુણવંતગીરી, નિતેશગીરી, એડવોકેટ હાર્દિકગીરી સહિત ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text